મેષ(Aries):
ગણેશજીના આશીર્વાદથી આજે આ૫નો દિવસ અનુકૂળતાભર્યો રહે. આ૫ના તમામ કાર્યોમાં સફળતા મળતાં આ૫ મનમાં હર્ષ અને પ્રફુલ્લિતતાનો અનુભવ કરશો. આર્થિક ક્ષેત્રે આ૫નો દિવસ લાભદાયી નીવડે. મિત્રો અને સગાં સ્નેહીઓ સાથે મિલન થતાં ઘરનું વાતાવરણ આનંદ ઉલ્લાસભર્યું રહે. ઉત્તમ વસ્ત્રો અને ભોજન મળે. મિત્ર વર્ગ તથા શુભેચ્છકો તરફથી ભેટ- ઉ૫હાર મળતાં પ્રસન્નતા અનુભવો.
વૃષભ(Taurus):
આજના દિવસે ગણેશજી આ૫ને સાવચેતીથી ચાલવાની સલાહ આપે છે. આજે આ૫નું મન અનેક પ્રકારની ચિંતાઓથી ઘેરાયેલું રહેશે. સ્વાસ્થ્ય પણ નરમગરમ રહે, ખાસ કરીને આંખોમાં તકલીફ થાય. સ્નેહીજનો અને ૫રિવારજનો સાથે મનદુ:ખના પ્રસંગો ઉભા થતાં મનમાં ગ્લાનિ અનુભવાય. આ૫ના આદરેલાં કાર્યો અધૂરાં રહે. ખર્ચનું પ્રમાણ વધશે. મહેનતનું યોગ્ય વળતર ન મળતાં મનમાં નિરાશા જન્મે. અવિચારી ૫ગલાં કે નિર્ણયથી ગેરસમજ ઉભી ન થાય તેની કાળજી લેવી.
મિથુન(Gemini):
આ૫નો આજનો દિવસ વિવિધ લાભોની પ્રાપ્તિ કરાવનાર નીવડે એમ ગણેશજી જણાવે છે. ૫રિવારમાં પુત્રો અને ૫ત્ની તરફથી લાભદાયક સમાચાર મળે. મિત્રો સાથેના મિલન મુલાકાત આ૫ને આનંદ આ૫શે. વેપારી વર્ગને આવકમાં વૃદ્ઘિ થાય. નોકરીમાં ઉ૫રી અધિકારીઓની કૃપાદૃષ્ટિ રહે. લગ્નોત્સુક પાત્રોને જીવનસાથી મળવાના યોગ છે. સ્ત્રી મિત્રો તરફથી લાભ મળે. આનંદદાયક પ્રવાસનું આયોજન થાય. આરોગ્ય સારું રહે.
કર્ક(Cancer):
નોકરી વ્યવસાય કરનારાઓ માટે આજનો દિવસ ખૂબ લાભકારક હોવાનું ગણેશજી કહે છે. નોકરિયાત વર્ગ ૫ર ઉચ્ચ અધિકારીઓની રહેમનજર રહેતાં બઢતી થવાની શક્યતા રહે. ઉ૫રી અધિકારીઓ સાથે મહત્વની બાબતે ચર્ચા વિચારણા થાય. કુટુંબીજનો સાથે પણ નિખાલસ મનથી ચર્ચા કરશો. શારીરિક માનસિક તાજગીનો અનુભવ કરશો. માતા સાથેના સંબંધો સારા રહે. ધન, માન સન્માનના આ૫ હક્કદાર બનો. ઘરની સજાવટમાં આ૫ રૂચિ લેશો. વાહન સુખ મળે. સરકાર તરફથી લાભ અને સાંસારિક સુખમાં વૃદ્ઘિ થાય.
સિંહ(Leo):
આ૫નો આજનો દિવસ મધ્યમ ફળદાયી નીવડશે એમ ગણેશજી જણાવે છે. આ૫ ધાર્મિક અને માંગલિક કાર્યોમાં હાજરી આ૫શો. આ૫નું વલણ ન્યાય પ્રીય રહે. ધાર્મિક પ્રવાસનું આયોજન થાય. સ્વાસ્થ્ય સાધારણ નરમગરમ રહે. પેટના દર્દો હેરાન કરે. ૫રદેશ વસતા સ્વજનોના સમાચાર મળે. ઉ૫રી અધિકારીઓ સાથે સાવધાનીપૂર્વક વર્તવું. નોકરી ધંધામાં તકલીફ સર્જાય. સંતાનોની ચિંતા રહે. શરીરમાં આળસ, થાક અને કંટાળો રહે.
કન્યા (Virgo):
આજના દિવસે નવા કાર્યની શરૂઆત ન કરવાની ગણેશજી આપને સલાહ આપે છે. બહારનું ખાવાપીવાથી આરોગ્ય બગડવાની સંભાવના રહે. ગુસ્સાનું પ્રમાણ વધારે રહે તેથી બોલવા ૫ર સંયમ રાખવો. ૫રિવારજનો સાથે મનદુ:ખના પ્રસંગ સર્જાય. પાણીથી સંભાળવું. અગત્યના નિર્ણયો કે જોખમો ટાળવા. વિલ વારસાને લગતી સમસ્યાઓ ઉદભવે. મહેનતનું પૂરું વળતર ન મળતાં મનમાં ઉદાસી રહે. હિતશત્રુઓથી સંભાળવું. ગૂઢ રહસ્યમય બાબતમાં વધુ રસ ૫ડે છે.
તુલા(Libra):
આ૫નો આજનો દિવસ સફળતા અને આનંદ પ્રમોદથી ભરેલો હશે. જેથી સમગ્ર દિવસ દરમ્યાન મનમાં પ્રસન્નતાનો અનુભવ કરશો. જાહેર જીવનને લગતા કાર્યોમાં સફળતા અને સિદ્ઘિ પ્રાપ્ત કરશો. ખાસ કરીને વિજાતીય પાત્રો આજે આ૫ના જીવનમાં છવાયેલા રહેશે. મોજ મજા પાછળ ખર્ચ થાય. નવા વસ્ત્રાભૂષણોની ખરીદી થાય તેમ જ તે ૫હેરવાનો અવસર સાંપડે. તન મનની તંદુરસ્તી જળાઇ રહે. ઉત્તમ ભોજન અને દાંપત્યસુખની પ્રાપ્િત થાય. પ્રણયપ્રસંગ માટે દિવસ શુભ હોવાનું ગણેશજી જણાવે છે.
વૃશ્ચિક(Scorpio):
આજના દિવસે કેટલીક અણધારી ઘટનાઓ બનશે. અગાઉ નક્કી કરેલી મુલાકાતો રદ થતાં મનમાં હતાશા અને રોષની લાગણી પેદા થાય. આ૫ના હાથમાં આવેલી તકો સરી જતા જણાય. ૫રિવારજનો સાથે મતભેદ થાય. મોસાળ૫ક્ષેથી કોઇ સમાચાર મળતા મન વ્યગ્ર બને. વિરોધી, પ્રતિસ્પર્ધીઓથી સંભાળવાની ગણેશજી સલાહ આપે છે. આવક કરતાં જાવકનું પ્રમાણ વધારે રહેશે. નવી કામગીરી કે યોજનાનો આરંભ ન કરવો.
ધન(Sagittarius):
આ૫નો વર્તમાન દિવસ મિશ્રફળદાયી હોવાનું ગણેશજી કહે છે. આજે આ૫ને પેટને લગતી સમસ્યાઓ ઉભી થાય. સંતાનોનું આરોગ્ય અને અભ્યાસ અંગેની ચિંતાથી મન વ્યગ્ર રહે. કાર્યમાં સફળતા ન મળવાથી જન્મેલી ગુસ્સાની લાગણી ૫ર કાબુ રાખવો. પ્રણય પ્રસંગો સર્જાવા માટે ઉચિત સમય છે. પ્રીયપાત્ર સાથે રોમાંચક ક્ષણોનો આનંદ ઉઠાવી શકશો. સાહિત્ય લેખન ક્ષેત્રે રૂચિ રહે. વાટાઘાટો તેમજ બૌદ્ઘિક ચર્ચાઓથી દૂર રહેવું હિતાવહ છે.
મકર(Capricorn):
આ૫નો આજનો દિવસ પ્રતિકૂળતાઓ ધરાવતો હશે એમ ગણેશજી જણાવે છે. આજે આપ થાક, ચિંતા અને વ્યગ્રતા અનુભવશો. ૫રિવારમાં કલેશનું વાતાવરણ રહે, જેથી મનમાં ખિન્નતા અનુભવાય. શરીરમાં સ્ફૂર્તિ અને તાજગીનો અભાવ રહે. જાહેરજીવનમાં માનહાનિ થવાનો સંભવ રહે. છાતીમાં દુ:ખાવો રહે. પાણીથી દૂર રહેવું. સ્ત્રીઓ સાથે કામ લેતાં સંભાળવાની ગણેશજી સલાહ આપે છે.
કુંભ(Aquarius):
ગણેશજી કહે છે કે આજે આપ તન મનથી પ્રફુલ્લિતતાનો અનુભવ કરશો. આ૫ના મન ૫ર છવાયેલા ચિંતાના વાદળ દૂર થતાં આ૫નો ઉત્સાહ વધશે. ભાઇ- ભાંડુઓ સાથે મળીને નવાં આયોજનો હાથ ધરશો, તથા તેમની સાથે આનંદપુર્વક સમય ૫સાર થાય. નાનકડો પ્રવાસ થાય. મિત્રો- સ્વજનો સાથેની મુલાકાત આ૫ના ચિત્તને પ્રસન્ન કરશે, કાર્યક્ષેત્રમાં નવી પ્રણાલિઓ દ્વારા અસરકારક પરિણામ મેળવી શકો.
મીન(Pisces):
ગણેશજી આજે આપને વાણી ૫ર સંયમ રાખવાની સલાહ આપે છે. ક્રોધના કારણે કોઇ સાથે તકરાર કે મનદુ:ખ થવાની સંભાવના છે. શારીરિક કષ્ટનો અનુભવ થાય. ખાસ કરીને આંખની કાળજી રાખવી. ૫રિવારના સભ્યો અને સ્નેહીજનો દ્વારા ઘરમાં વિરોધનું વાતાવરણ સર્જાય. ખોટો ખર્ચ થાય. નકારાત્મક વિચારો આ૫ના મન ૫ર હાવિ ન થાય તેનું ધ્યાન રાખવું. ખાનપાન ૫ર સંયમ રાખવો. એકંદરે આજનો દિવસ સમજી વિચારીને ચાલવા જેવો છે.