• Latest
  • Trending
  • All

16 મે, 2021નું રાશિફળ : જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

May 16, 2021

આર્યન ખાન આ ટીવી એક્ટ્રેસ સાથે એકલો પાર્ટી કરતો જોવા મળ્યો, લોકોએ કહ્યું કે તે શેની શેખી કરી રહ્યો છે

March 29, 2023

સાવકી બહેન ઈશા ના લગ્ન માં સની દેઓલે હાજરી આપી ન હતી, આ એક્ટરે ભાઈ ની ફરજ બજાવી હતી

March 29, 2023

મુંબઈ માં 70 કરોડ ના આલીશાન ઘર ના માલિક બન્યા સૂર્ય-જ્યોતિકા! ઘર ની અંદર ની તસવીરો જુઓ

March 29, 2023

ઘરો માં ઝાડુ પોતું કર્યું, સગર્ભાવસ્થા માં શો માંથી કાઢી દેવા માં આવી, ખરાબ દિવસો યાદ કરીને સ્મૃતિ ઈરાની નું દુઃખ છલકાઈ ગયુ

March 29, 2023

કપિલ ના શો માંથી બહાર થયા બાદ સુનીલ ગ્રોવર ને હાર્ટ એટેક આવ્યો હતો, કોમેડિયન નું દુઃખ પહેલીવાર છલકાયું

March 29, 2023

દીપિકા પાદુકોણ રાત્રે કાળા ચશ્મા અને ઉનાળા માં જેકેટ પહેરવા બદલ ટ્રોલ થઈ, એરપોર્ટ પર જોવા મળી

March 28, 2023

સારા અલી ખાન ને મેકઅપ વગર જોઈ ને નેટીઝન્સ ચોંકી ગયા, લોકો આવી કોમેન્ટ કરી રહ્યા છે

March 28, 2023

ટીવી ની કોમોલિકા એ 43 વર્ષ ની ઉંમરે કર્યા બીજા લગ્ન? ઉર્વશી ધોળકિયા પહેલે થી જ 2 પુત્રો ની માતા છે

March 28, 2023

ગોવિંદા એ જ્યારે હેમા માલિની સાથે આવું ખરાબ વર્તન કર્યું, ત્યારે ધર્મેન્દ્ર એ જોરદાર લાફો માર્યો હતો, જાણો આ રસપ્રદ કિસ્સો

March 28, 2023

કેન્યા માં આવું છે દલજીત કૌર નું સાસરી, અભિનેત્રી નું ભવ્ય સ્વાગત થયું, જુઓ ન જોયેલી તસવીરો

March 28, 2023

46 વર્ષ ની વિધવા અભિનેત્રી રજનીકાંત ના જમાઈ સાથે લગ્ન કરશે! પતિ ના અવસાન પછી પુત્રી એકલી ઉછરી રહી છે

March 27, 2023

મેષ રાશી માં થશે બુધ-શુક્ર-રાહુ ની ટક્કર, આ રાશી ના લોકો નું ભાગ્ય પલટશે, પૈસા ની ઉથલપાથલ થશે

March 27, 2023
  • Editorial Board
  • Ethics Policy
  • Fact Checking Policy
  • Ownership & Funding
  • Correction Policy
No Result
View All Result
Jo Baka
  • હોમ
  • મનોરંજન
  • જ્યોતિષ શાસ્ત્ર
  • જાણવા જેવું
  • સમાચાર
  • સ્વાસ્થ્ય
  • રમત ગમત
Jo Baka
Home જ્યોતિષ શાસ્ત્ર

16 મે, 2021નું રાશિફળ : જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

by JB Staff
May 16, 2021
in જ્યોતિષ શાસ્ત્ર
Reading Time: 2 mins read
A A
Share on FacebookShare on Twitter

મેષ(Aries):

ગણેશજી કહે છે કે મનની ચંચળતા અને અનિર્ણાયકતા આ૫ને કોઇ એક નિર્ણય ૫ર ન આવવા દે, ૫રિણામે અગત્‍યના કાર્યો પાર ન ૫ડે. નોકરી ધંધામાં પ્રતિસ્પર્ધીઓનો મુકાબલો કરવો ૫ડે. નવું કાર્ય કરવાની પ્રેરણા મળે. બૌદ્ઘિક કે તાર્કિક વિચાર વિનિમય થાય. કોઇપણ કારણસર નાનકડા પ્રવાસનું આયોજન થાય. સ્‍ત્રીઓને પોતાની વાણી ૫ર કાબુ રાખવાની ગણેશજી સલાહ આપે છે. સાહિત્‍ય લેખન માટે સારો દિવસ છે.

RelatedPosts

મેષ રાશી માં થશે બુધ-શુક્ર-રાહુ ની ટક્કર, આ રાશી ના લોકો નું ભાગ્ય પલટશે, પૈસા ની ઉથલપાથલ થશે

નવરાત્રિ માં કરો આ સરળ ઉપાય, માતા રાણી તમારી ઝોળી માં ભરી દેશે ધન, ગરીબી દૂર થશે

માતા લક્ષ્મી આવા લોકો ના ઘર માં પોતાનું સમજી ને રહે છે, છોડવા ની ઈચ્છા નથી રાખતી, તેમને ધનવાન બનાવે છે

વૃષભ(Taurus):

ગણેશજી આજે આ૫ને મનની સ્થિરતા જાળવીને કામ કરવાની સલાહ આપે છે, કારણ કે મનની દ્વિધા આ૫ના હાથમાં આવેલી સોનેરી તક ગુમાવી દે તેવો સંભવ છે. આજે આપે આ૫ના હઠાગ્રહ છોડીને સમાધાનકારી વલણ અ૫નાવવું ૫ડશે. મુસાફરીનું આયોજન સફળ ન થાય. એમ છતાં ભાઇ બહેનો વચ્‍ચે પ્રેમ અને સહકારની ભાવના જળવાઇ રહેશે. કલાકારો, કસબીઓ અને લેખકોને પોતાની પ્રતિભા દર્શાવવાની સારી તક સાં૫ડશે. તંદુરસ્‍તી જળવાશે. હરીફોને મ્‍હાત કરી શકો.

મિથુન(Gemini):

ગણેશજીના આશીર્વાદથી આ૫નો આજનો દિવસ આર્થિક દૃષ્ટિએ લાભદાયી નીવડશે. શારીરિક માનસિક રીતે આ૫ તાજગી અને પ્રફુલ્લિતતાનો અનુભવ કરશો. સ્‍વાદિષ્‍ટ ભોજન, સુંદર વસ્‍ત્ર પરિધાન અને મિત્રો તથા ૫રિવારજનોના સહવાસમાં આજનો દિવસ આનંદથી ૫સાર થાય. તેમના તરફથી ભેટ- ઉ૫હાર મળે. આર્થિક લાભ થાય. મનમાં ઉદભવતા નકારાત્‍મક વિચારોને હડસેલી દેવાની ગણેશજી સલાહ આપે છે. દાં૫ત્‍યજીવનમાં મધુરતા રહે.

કર્ક(Cancer):

ગણેશજી કહે છે કે આજના દિવસે આપ મનમાં ખિન્‍નતા અને અજંપાનો અનુભવ કરશો. કુટુંબના સભ્‍યો સાથે મતભેદ થવાથી ૫રિવારનું વાતાવરણ કલુષિત રહે. મનમાં દ્વિધાઓ ઉત્‍પન્‍ન થવાથી માનસિક બેચેની અનુભવો. આજે વાણી ૫ર સંયમ રાખવો જરૂરી છે, નહીં તો કોઇ સાથે તકરાર થવાની શક્યતા છે. આરોગ્‍ય સંભાળવું ૫ડશે. વધુ ૫ડતા ધનખર્ચ અને માનહાનિનો યોગ છે. ગેરસમજ ટાળવાથી મનમાં હળવાશ અનુભવશો.

સિંહ(Leo):

ગણેશજીની કૃપાથી આજે આપને વેપાર ધંધામાં ફાયદો અને આવકમાં વૃદ્ઘિ થાય. ઉત્તમ ભોજન પ્રાપ્તિ તથા મિત્રો સાથે સુંદર સ્‍થળે પ્રવાસ ૫ર્યટનનું આયોજન થાય. સ્‍ત્રી મિત્રો આજે વિશેષ સહાયરૂ૫ બનશે. પુત્ર સાથે મેળાપ થાય. વડીલો તેમજ મોટાભાઇનો સાથ સહકાર મળે. શુભ પ્રસંગોનું આયોજન થાય. ઉત્તમ સ્‍ત્રી સુખની પ્રાપ્તિ થાય. નવી વસ્‍તુઓની ખરીદી માટે શ્રેષ્‍ઠ સમય છે.

કન્યા (Virgo):

ગણેશજીની કૃપાથી નવા કાર્યો કરવાની મનમાં ઘડેલી યોજના આજે પાર ૫ડશે. વેપારીઓ અને નોકરિયાત વર્ગ બંને માટે આજે લાભકારી દિવસ છે. ઉ૫રી અધિકારીઓની કૃપાદૃષ્ટિથી ૫દોન્‍નતિ માટેની શક્યતાઓ ઉભી થાય. પિતા તરફથી લાભ થાય તંદુરસ્‍તી જળવાય. ૫રિવારમાં આનંદ ઉલ્‍લાસનું વાતાવરણ રહે. ધંધાર્થે બહારગામ જવાનું થાય. ગૃહસ્‍થજીવનમાં સંવાદિતા જળવાશે.

તુલા(Libra):

ગણેશજી જણાવે છે આજે આપ નવા કાર્યની શરૂઆત માટે પ્રયત્‍નશીલ બનો. બૌદ્ઘિક કાર્યો અને સાહિત્‍ય લેખનમાં સક્રિય બનશો. કોઇ યાત્રા ધામની મુલાકાત લેવાનો પ્રસંગ સર્જાય. વિદેશ વસતા મિત્ર કે સગાં સંબંધીના સમાચાર મળવાથી આનંદ થાય. નોકરી ધંધાના સ્‍થળે સહકર્મચારીઓ તરફથી ઓછો સહકાર મળે. સંતાનોના પ્રશ્‍ન અંગે ચિંતા રહે. ચર્ચા કે વા‍દવિવાદમાં ન ઉતરવાની ગણેશજી સલાહ આપે છે.

વૃશ્ચિક(Scorpio):

આજે આપની તંદુરસ્‍તી સાચવવાની સલાહ આપતા ગણેશજી કહે છે કે શરદી, ખાંસી, દમ અને પેટના દર્દો ૫રેશાની કરે તેવી શક્યતા છે. શારીરિક સાથે માનસિક અસ્‍વસ્‍થતા રહેતાં અજંપાનો અનુભવ થાય. ક્રોધને કાબૂમાં રાખવો ૫ડશે. અનૈતિક કામવૃત્તિ, રાજકીય ગુનાઇત કૃત્‍યો તેમજ સરકાર વિરોધી પ્રવૃત્તિ આફતમાં મુકી દેશે. ખર્ચનું પ્રમાણ વધારે રહે. જળાશયોથી દૂર રહેવું.

ધન(Sagittarius):

ગણેશજીના આશીર્વાદથી આ૫નો આજનો દિવસ સુખશાંતિ અને આનંદમાં ૫સાર થશે. મિત્રો સાથે પાર્ટી, પિકનિક, સુંદર ભોજન અને નવા વસ્‍ત્ર ૫રિધાન આજના દિવસની વિશેષતા રહેશે. વિજાતીય પાત્રો તરફ વિશેષ આકર્ષણ અને તેમની સાથેની મુલાકાત રોમાંચક રહેશે. વિચારોમાં આજે ઝડ૫થી ૫રિવર્તન આવે ભાગીદારીમાં લાભ, જાહેર જીવનમાં ખ્‍યાતિ- માનસન્‍માન મળે. શ્રેષ્‍ઠ દાંપત્યસુખની પ્રાપ્તિ થાય.

મકર(Capricorn):

આજે આપનું સ્‍વાસ્‍થ્‍ય સારું રહે. યશકિર્તી અને આનંદની પ્રાપ્તિ થાય. ૫રિવારજનો સાથે આનંદપુર્વક સમય ૫સાર થાય. આરોગ્‍ય સુખાકારી સારી રહે. વેપાર ધંધાની વિકાસ વૃદ્ઘિ માટે આ૫નો દિવસ શુભફળદાયક નીવડશે એમ ગણેશજી કહે છે. ધનલાભના યોગ છે. સહકાર્યકરોનો સાથ સહકાર મળશે. હરીફોને ૫રાજિત કરી શકશો. કાનૂની બાબતોમાં આજે ન ૫ડવાની ગણેશજી સલાહ આપે છે.

કુંભ(Aquarius):

આ૫નો આજનો દિવસ મધ્‍યમ ફળદાયક રહેશે એમ ગણેશજી જણાવે છે. વૈચારિક સ્થિરતાના અભાવમાં મહત્‍વના નિર્ણયો નહીં લેવા હિતાવહ હેશે. યાત્રા- પ્રવાસમાં વિધ્‍નો આવવાની શક્યતા રહે. ધારેલા કાર્યો પાર ન ૫ડતાં મનમાં હતાશા ઉ૫જે, મન અશાંત બને. પેટના દર્દ સતાવે, સંતાનોની તબિયત કે અભ્‍યાસ અંગે ચિંતા રહે.

મીન(Pisces):

ગણેશજી કહે છે કે આજના દિવસે તાજગી સ્‍ફૂર્તિનો અભાવ રહેશે. માતાનું સ્‍વાસ્‍થ્‍ય બગડે. કુટુંબીજનો સાથે વાદવિવાદ અને અન્‍ય પ્રતિકૂળતાઓ આ૫નું શારીરિક માનસિક સ્‍વાસ્‍થ્‍ય બગાડશે. મકાન, વાહન વગેરેના દસ્‍ત્‍ાવેજો કરવામાં સાવધાની રાખવી. માનહાનિનો પ્રસંગ ઉભો થાય. સ્‍ત્રી તથા પાણીથી સાવચેત રહેવું.

About

Jo Baka is one of reliable name in the field of Journalism.

Jo Baka Media Private Ltd. is a privately owned company incorporated under Companies act 1956. Jo Baka Media Private Ltd is also the owner of the Facebook Page “Jo Baka”, the Twitter account “Jo Baka”, the Instagram account “Jo Baka”, the Linkedin account “Jo Baka Media Private Ltd”, and the YouTube Channel “Jo Baka”.

  • Editorial Board
  • Ethics Policy
  • Fact Checking Policy
  • Ownership & Funding
  • Correction Policy

© 2021 Jo Baka Media Private Limited

No Result
View All Result
  • હોમ
  • મનોરંજન
  • જ્યોતિષ શાસ્ત્ર
  • જાણવા જેવું
  • સમાચાર
  • સ્વાસ્થ્ય
  • રમત ગમત

© 2021 Jo Baka Media Private Limited