એજાઝ ખાન જેલ માં આર્યન ખાન અને રાજ કુન્દ્રા ને મળ્યા, ચિંતા અને હતાશા નો ખુલાસો – ટોઇલેટ માં 400 કેદીઓ!

ટીવી એક્ટર અને ‘બિગ બોસ 7’ ફેમ એજાઝ ખાન ની વર્ષ 2021 માં NCB દ્વારા ડ્રગ્સ ના કેસ માં ધરપકડ કરવા માં આવી હતી. તે લગભગ 26 મહિના જેલ માં રહ્યો. આર્યન ખાન અને રાજ કુન્દ્રા પણ ત્યાં હતા. અભિનેતા એ કહ્યું કે તે જેલ માં હતા ત્યારે પણ ડિપ્રેશન માંથી પસાર થઈ ગયો હતો.

એક્ટર એજાઝ ખાન ડ્રગ કેસ માં લગભગ 26 મહિના જેલ માં રહ્યો હતો. ત્યારબાદ તેમને સુપ્રીમ કોર્ટ માંથી જામીન મળી ગયા. હવે તે મુક્ત થઈને પોતાના ઘરે પહોંચી ગયો છે. તેણે હાલ માં જ જેલ માં પોતાના અનુભવ વિશે ખુલાસો કર્યો હતો. તેણે કહ્યું કે તે ચિંતા અને ડિપ્રેશન માંથી પણ પસાર થયો હતો. જેલ માં કેદીઓ ની હાલત એવી હતી કે તે દુનિયા ની સૌથી ભીડવાળી જગ્યા હતી. એક શૌચાલય માં 400 કેદીઓ રહેતા હતા. તેણે એ પણ જણાવ્યું કે તે શાહરૂખ ખાન ના પુત્ર આર્યન ખાન અને શિલ્પા શેટ્ટી ના પતિ રાજ કુન્દ્રા ને પણ મળ્યો હતો.

Ajaz reveals he met Aryan Khan in jail, says 'you wouldn't want your worst enemy there' - India Today

વર્ષ 2021 માં, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) એ એજાઝ ખાન ની ડ્રગ કેસમાં ધરપકડ કરી હતી . તેની ધરપકડ પછી, અભિનેતા એ દાવો કર્યો હતો કે તેની પાસે માત્ર ઊંઘ ની ગોળીઓ હતી. બે વર્ષ થી વધુ સમય જેલમાં રહ્યા બાદ એજાઝ ને જામીન મળી ગયા.

જેલ માં એક દિવસ એક વર્ષ જેવો લાગે છે

Ajaz Khan was battling anxiety and depression during his time in Arthur Road Jail

વાત કરતા એજાઝ ખાને કહ્યું, ‘જેલ ની અંદર નો એક દિવસ એક વર્ષ જેવો લાગે છે. મારી વિરુદ્ધ કેસ કરનાર વ્યક્તિ વિશે હું કંઈ કહેવા માંગતો નથી (સમીર વાનખેડે નો સંદર્ભ), અને દુનિયા તેની સાથે શું થઈ રહ્યું છે તે જોઈ રહી છે. હું તેમને શુભેચ્છા પાઠવું છું. ચુકાદો સંભળાવતા પહેલા જ મને દોષિત જાહેર કરવા માં આવ્યો હતો. આખરે મને સુપ્રીમ કોર્ટ માંથી જામીન મળી ગયા, પરંતુ હું 26 મહિના જેલ માં રહ્યો. હું કામ ચૂકી ગયો અને મારા પુત્રને મોટો થતો ના જોઈ શક્યો.

એક શૌચાલય માં 400 કેદીઓ!

Ajaz Khan reveals he met Aryan Khan in prison

એજાઝ ખાને આર્થર રોડ જેલ ને વિશ્વની સૌથી વધુ ભીડવાળી જેલ ગણાવી કારણ કે ત્યાં 800 ની ક્ષમતા સામે 3500 જેટલા કેદીઓ છે. તેમણે કહ્યું, ‘400 કેદીઓ એક શૌચાલય માં જાય છે. શૌચાલય ની પરિસ્થિતિ ની કલ્પના કરો! હું ચિંતા અને હતાશા માંથી પસાર થયો. તે મુશ્કેલ હતું, પરંતુ મારે મારા પરિવાર માટે જીવિત રહેવું હતું, જેમાં મારા 85 વર્ષીય પિતા, પત્ની અને પુત્ર નો સમાવેશ થાય છે.

એજાઝ આર્યન-રાજ ને મળ્યો

Unjustified: Aryan Khan Says Anti-Drugs Body Trying To Implicate Him

અભિનેતા એ આગળ કહ્યું, ‘હું જેલ ની અંદર રાજ્ય ના પૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખ, સંજય રાઉત, અરમાન કોહલી, આર્યન ખાન અને રાજ કુન્દ્રા ને મળ્યો હતો. તમે ઇચ્છતા નથી કે તમારો દુશ્મન પણ આમાંથી પસાર થાય. મેં શરૂઆત માં મારા પુત્ર ને મળવાનો ઇનકાર કર્યો કારણ કે હું ઇચ્છતો ન હતો કે તે મને જેલ માં જોવે, પરંતુ અંતે 6 મહિના પછી તેને મળ્યો કારણ કે તે ઇચ્છતો હતો કે હું મારી વાર્તા શેર કરું અને વિશ્વ માટે મજબૂત બનું. તેણે એ પણ જણાવ્યું કે તેણે પોતાના અનુભવ પર એક પુસ્તક લખ્યું છે, જેને તે વેબ સિરીઝ માં ફેરવવા માંગે છે.

આર્યન ખાન 22 દિવસ જેલ માં હતો

Aryan Khan gets bail in drugs case after 3 weeks, to be back home by this week | Latest News India - Hindustan Times

શાહરૂખ ખાન ના પુત્ર આર્યન ખાને NCB ના દરોડા પછી કથિત ડ્રગ ના સેવન અને કાવતરા ના આરોપસર આર્થર રોડ જેલ માં 22 દિવસ વિતાવ્યા હતા. બાદમાં તેને છોડી દેવામાં આવ્યો હતો અને ક્લીનચીટ આપવા માં આવી હતી. બીજી તરફ બિઝનેસમેન અને શિલ્પા શેટ્ટી ના પતિ રાજ કુન્દ્રા ની પોર્નોગ્રાફી ના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. અહેવાલો અનુસાર, NCBએ તેના ઘરેથી 1.2 ગ્રામ કોકેઈન જપ્ત કર્યા બાદ અભિનેતા અરમાન કોહલી ને આર્થર રોડ જેલ માં બંધ કરવામાં આવ્યો હતો.

કોણ છે એજાઝ ખાન?

Ajaz Khan Reveals He Was Suffering From 'Anxiety And Depression' While Being Imprisoned For 26 Months; Says, 'Ek Toilet Mein 400 Log Jaate Hain'

એજાઝ ખાન ‘બિગ બોસ 7’ માં જોવા મળ્યો હતો. તેણે 2003માં રિલીઝ થયેલી ફિલ્મ ‘પથ’ થી બોલિવૂડ માં તેની કારકિર્દી ની શરૂઆત કરી હતી અને તે એકતા કપૂર ના ટીવી શો ‘ક્યા હોગા નિમ્મો કા’ (2007)નો ભાગ હતો. તે ‘કહાની હમારે મહાભારત કી’, ‘કરમ અપના અપના’ અને ‘રહે તેરા આશીર્વાદ’ માં પણ જોવા મળ્યો હતો. તેણે રિયાલિટી શો ‘બોલીવુડ ક્લબ’ પણ જીત્યો હતો.