કોરોના વાયરસ હવામાં પણ ફેલાય છે. હવે સરકારે પણ આ વાતનો સંપૂર્ણ સ્વીકાર કરી લીધો છે. સરકારના પ્રધાન વૈજ્ઞાનિક સલાહકારની કચેરી અનુસાર, એરોસોલ્સ અને ડ્રોપ્લેટ્સ એ કોરોના વાયરસના ફાટી નીકળવાના મુખ્ય કારણો છે. કોરોના ચેપગ્રસ્ત વ્યક્તિના ડ્રોપ્લેટ્સ હવામાં બે મીટર સુધીની મુસાફરી કરી શકે છે, જ્યારે એરોસોલ્સ તે ડ્રોપ્લેટ્સને 10 મીટર સુધી આગળ વધારી શકે છે અને ચેપનું જોખમ લાવી શકે છે.
ચેપગ્રસ્ત વ્યક્તિ પણ, જેમાં કોઈ લક્ષણો નથી, તે ‘વાયરલ લોડ’ બનાવવા માટે પૂરતા ડ્રોપ્લેટ્સ છોડી શકે છે, જે ઘણા લોકોને ચેપ લગાડે છે. આનો અર્થ એ કે હવે 10 મીટરનું અંતર પણ કોરોનાથી બચવા માટે પૂરતું નથી.
Droplets fall within 2 meters from an infected person: Office of Principal Scientific Adviser to GoI pic.twitter.com/rxTsgl5nbQ
— ANI (@ANI) May 20, 2021
વૈજ્ઞાનિક સલાહકાર ઓફિસના અનુસાર, ચેપગ્રસ્ત વ્યક્તિના શ્વાસ બહાર કાઢતા, બોલતા, ગાવાનું, હસવું, ખાંસી અને છીંક આવવાથી વાયરસ લાડ અને નાક થી નીકળવાવાળા સ્ત્રાવથી વાઇરસ નીકળે છે, જે અન્યને પણ ચેપ લગાડે છે. તેથી, ચેપની આ સાંકળને તોડવા માટે, કોવિડ માન્ય વર્તણૂકનું પાલન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. માસ્ક પહેરો, સુરક્ષિત શારીરિક અંતર જાળવો, અને હાથ ધોવા.
નિષ્ણાતોના મતે ચેપગ્રસ્ત વ્યક્તિને લક્ષણો બતાવવામાં બે અઠવાડિયા લાગે છે, તે દરમિયાન તેઓ અન્ય લોકોને પણ ચેપ લગાવી શકે છે. આ ઉપરાંત, કેટલાક લોકો લક્ષણો બતાવતા નથી, તેમ છતાં તેઓ વાયરસ ફેલાવી શકે છે.
Even one infected person showing no symptoms can release enough droplets to create a “viral load” that can infect many others: Office of Principal Scientific Adviser to GoI pic.twitter.com/r7uNVA7EZg
— ANI (@ANI) May 20, 2021
સરકારની નવી માર્ગદર્શિકા મુજબ બંધ અને બિન-વેન્ટિલેટેડ ઇનડોર જગ્યાઓ પર ડ્રોપ્લેટ્સ અને એરોસોલ્સ, કોરોના વાયરસના ફેલાવાના જોખમને મોટા પ્રમાણમાં વધારે છે. જો કે, નિષ્ણાતો હંમેશા કહે છે કે વેન્ટિલેશનવાળી જગ્યાઓ અને બહારના વિસ્તારોમાં ચેપનું જોખમ ઓછું છે.