બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રનું સોમવાર, 24 નવેમ્બર 2025ના રોજ 89 વર્ષની વયે દુઃખદ નિધન થયું. મુંબઈના વિલે પાર્લે સ્થિત પવન હંસ સ્મશાન ઘાટ પર તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા, જ્યાં ફિલ્મ જગતની અનેક મોટી હસ્તીઓએ ‘હી-મેન’ને અંતિમ વિદાય આપી હતી.
આજે, મંગળવારે સવારે, ધર્મેન્દ્રના પોત્ર અને અભિનેતા સની દેઓલના પુત્ર, કરણ દેઓલ, તેમના દાદાની અસ્થિ લેવા માટે સ્મશાન ભૂમિ પહોંચ્યા હતા.
અસ્થિ કળશ લઈને રવાના થયા કરણ ન્યૂઝ એજન્સી પીટીઆઈના અહેવાલ મુજબ, કરણ દેઓલને મુંબઈના પવન હંસ સ્મશાન ઘાટમાંથી તેમના દાદા, દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રના અસ્થિ કળશને લઈ જતા જોવા મળ્યા હતા. કરણ દેઓલ કારમાં બેઠેલા નજરે પડ્યા હતા અને તેમના હાથમાં લાલ રંગના કપડાથી ઢંકાયેલો અસ્થિ કળશ હતો. દાદાને ગુમાવવાના દુઃખના કારણે તેમના ચહેરા પર માયૂસી સ્પષ્ટપણે જોઈ શકાતી હતી.
VIDEO | Actor Karan Deol, son of Sunny Deol, was seen carrying the ashes of his grandfather, veteran actor Dharmendra, from Mumbai’s Pawan Hans crematorium.#Dharmendra
(Full video available on PTI Videos – https://t.co/n147TvrpG7) pic.twitter.com/BZgXdHdj25
— Press Trust of India (@PTI_News) November 25, 2025
12 નવેમ્બરે હોસ્પિટલમાંથી મળી હતી રજા ધર્મેન્દ્રની તબિયત નાદુરસ્ત હોવાથી મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. ઘણા દિવસો સુધી હોસ્પિટલમાં રહ્યા બાદ, 12 નવેમ્બરે તેમને રજા આપવામાં આવી હતી. ત્યારબાદ, અભિનેતાના જુહુ સ્થિત નિવાસસ્થાને જ તેમના માટે ખાસ આઈસીયુ વોર્ડ બનાવવામાં આવ્યો હતો, જ્યાં ડોક્ટરો અને ચાર નર્સોની દેખરેખ હેઠળ તેમની સારવાર ચાલી રહી હતી. ચાહકોને આશા હતી કે ‘હી-મેન’ સ્વસ્થ થઈને ફરી પાછા ફરશે, પરંતુ 24 નવેમ્બરે તેમના નિધનના સમાચાર સાથે ચાહકોનું દિલ તૂટી ગયું.
‘દિલ ભી તેરા હમ ભી તેરે’થી કર્યું હતું ડેબ્યુ ધર્મેન્દ્રનો જન્મ 8 ડિસેમ્બર 1935ના રોજ પંજાબના લુધિયાણા જિલ્લાના નાસરાલી ગામમાં થયો હતો. તેમનું પૂરું નામ ધર્મેન્દ્ર કેવલ કૃષ્ણ દેઓલ હતું. તેમના પિતાનું નામ કેવલ કૃષ્ણ અને માતાનું નામ સતવંત કૌર હતું. ધર્મેન્દ્રનું શરૂઆતનું જીવન સાનેહવાલ ગામમાં વીત્યું હતું અને તેમણે સરકારી શાળામાંથી અભ્યાસ કર્યો હતો, જ્યાં તેમના પિતા હેડમાસ્ટર હતા. તેમણે પંજાબ યુનિવર્સિટીમાંથી ઉચ્ચ શિક્ષણ મેળવ્યું હતું. ફિલ્મફેર મેગેઝિનની ‘ન્યુ ટેલેન્ટ હન્ટ’ સ્પર્ધા જીત્યા બાદ, અભિનયના સપના સાથે તેઓ મુંબઈ આવ્યા હતા. 1960માં ફિલ્મ ‘દિલ ભી તેરા હમ ભી તેરે’થી તેમણે બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું. પોતાના કરિયરમાં તેમણે 300થી વધુ ફિલ્મોમાં કામ કર્યું. તેમની છેલ્લી ફિલ્મ ‘ઇક્કીસ’ છે, જે 25 ડિસેમ્બર 2025ના રોજ રિલીઝ થશે.
