ફિલ્મ પ્રેમ પ્રતિજ્ઞા 32 વર્ષ પહેલા 1989 માં રિલીઝ થઈ હતી. તેનું દિગ્દર્શન દિગ્દર્શક બાપુએ કર્યું હતું. ફિલ્મ ને બોક્સ ઓફિસ પર પણ સારો પ્રતિસાદ મળ્યો હતો. આ ફિલ્મ ની સ્ટાર કાસ્ટ ની વાત કરીએ તો આ ફિલ્મ માં મિથુન ચક્રવર્તી, માધુરી દીક્ષિત, રણજીત, સતિષ કૌશિક, વિનોદ મહેરા જેવા સ્ટાર્સ શામેલ છે. આ ફિલ્મ ના એક સીન દરમિયાન માધુરી દીક્ષિત નો રેપ થયો હતો.
અભિનેત્રી માધુરી દીક્ષિત તેના બળાત્કાર ના દ્રશ્ય થી એટલી ગભરાઈ ગઈ હતી કે, તેણે આ ફિલ્મ ના ખલનાયક અભિનેતા રણજીત ને કહ્યું હતું કે મને સ્પર્શ કરશો નહીં મારા થી દૂર રહો. માધુરી સેટ પર જ રડવા લાગી. આ દ્રશ્ય આ ફિલ્મ માટે જરૂરી હતું અને માધુરી ખૂબ જ મુશ્કેલી થી તેના માટે તૈયાર હતી. આ સુપરહિટ ફિલ્મ માં માધુરી અને રણજીત વચ્ચે રેપ સીન ફિલ્માવ્યો હતો. માધુરી આ દ્રશ્ય કરવા માટે તૈયાર નહોતી, કારણ કે તે સમયે રણજીત ની છબી ભયાનક અને ખરાબ વિલન ની હતી. આના કારણે માધુરી ખૂબ નર્વસ હતી.
જ્યારે આ સીન માટે આ ફિલ્મ નું શૂટિંગ થવાનું હતું. તમામ તૈયારીઓ કરવા માં આવી હતી. માધુરી પણ આ દ્રશ્ય માટે સંપૂર્ણ તૈયાર હતી. આ દરમિયાન અભિનેત્રી ઘણી નર્વસ હતી. માધુરી એ એક વખત એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, પ્રેમ પ્રતિજ્ઞા ફિલ્મ ના સીન ને લઈને તેના મન માં ઘણા પ્રશ્નો આવી ગયા હતા. આ દ્રશ્ય પહેલાં તે વિચારતી હતી કે તે કેવી રીતે થશે, દ્રશ્ય કેવું હશે. આ દરમિયાન માધુરી નું મન પણ રણજીત ની છબી થી ગભરાઈ ગયું હતું.
જેવો આ સીન ફિલ્મ માટે શૂટ કરવા માં આવ્યો, ફિલ્મ ની આખી ટીમ આ શોટ થી ખુશ જોવા મળી હતી, જ્યારે રણજીત અને ફિલ્મ ના ડાયરેક્ટર બાપુ ને લાગ્યું કે કદાચ આ સીન કર્યા પછી માધુરી સામાન્ય છે. પરંતુ આ પછી, જ્યારે રણજીત અને બાપુ એ માધુરી ને પૂછ્યું કે શું તે બરાબર છે? તેને આ સીન કરવા માં કોઈ મુશ્કેલી તો ના થઈ ને? આના પર અભિનેત્રીએ કહ્યું કે તેને ખરાબ લાગ્યું નથી કે ના રણજીત ના સ્પર્શ નો અનુભવ થયો. આ હોવા છતાં, અભિનેત્રી અંદર થી ખૂબ નર્વસ હતી.
રણજીત ને પણ સમજાયું કે માધુરી ખૂબ ડરી ગઈ છે. અભિનેતા રણજીતે 1971 ની ફિલ્મ ‘શર્મિલી’ થી અભિનય ની દુનિયા માં પ્રવેશ કર્યો હતો. આ ફિલ્મ માં તેણે રાખી, શશી કપૂર, અનિતા ગુહા, નઝીર હુસેન અને ઇફતેખાર જેવા કલાકારો સાથે કામ કર્યું હતું. તે યુગ ની દરેક ફિલ્મ માં, કોઈક પ્રકાર ના બળાત્કાર ના દ્રશ્ય નિશ્ચિતરૂપે ફિલ્માવવા માં આવતા હતા.
એકવાર કપિલ શર્મા ના શો પર, રણજીતે એક વાત શેર કરી હતી કે જ્યારે મારી ફિલ્મ ‘શર્મિલી’ બહાર આવી ત્યારે મને ઘર ની બહાર ફેંકી દેવા માં આવ્યો, કારણ કે મેં રાખી નાં વાળ ખેંચ્યા, કપડાં ફાડવા નો પ્રયત્ન કર્યો. આ બળાત્કાર ના દ્રશ્ય પછી મારો પરિવાર મારો ચહેરો જોવા માંગતો ન હતો. રણજીતે કહ્યું હતું કે તેના ઘર ના લોકો તેને કહેતા હતા કે આ પણ કોઈ કામ છે, કેટલાક સારા પાત્રો ભજવો.