તમે બાળકોને ઘણી વખત માટી ખાતા જોયા હશે. સામાન્ય રીતે બાળકો તેમાં વ્યસની થઈ જાય છે. પરંતુ આજે અમે તમને 80 વર્ષના વૃદ્ધ વ્યક્તિ સાથે પરિચય કરવા જઈ રહ્યા છીએ જે દરરોજ અઢીસો ગ્રામ પથ્થર ખૂબ ઉત્સાહથી ખાય છે. તેઓ આ પથ્થરો ખૂબ જોશથી ખાય છે. તેઓએ આ પથ્થરને ખાધાને 31 વર્ષથી વધુ સમય થયા છે.
જેની આપણે અહીં વાત કરી રહ્યા છીએ તે મહારાષ્ટ્રના સાતારામાં રહે છે. તેમનું નામ રામભાઉ બોડકે છે. ગામના લોકો પણ તેમને ‘પથ્થર વાલે બાબા’ ના નામથી ઓળખે છે. રામભાઉના ખિસ્સામાં હંમેશા પથ્થરના ટુકડાઓ હોય છે. જ્યારે પણ તેમનું મન થાય એ ચાવવા લાગે. જ્યારે પથ્થરો ખાનારા આ વડીલ વિશે તબીબોને ખબર પડી ત્યારે તે પણ આશ્ચર્યચકિત થઈ ગયા.
રામભાઉ બોડકે કહે છે કે તેઓ 1989 માં કામની શોધમાં મુંબઇ આવ્યા હતા. અહીં તેમણે પેટમાં દુખાવાની ફરિયાદ શરૂ થઇ. ત્રણ વર્ષ સુધી તેના પેટમાં દુખાવો થતો રહ્યો પરંતુ તેમને આરામ ના મળ્યો. આવી સ્થિતિમાં તે મુંબઈ છોડીને સાતારા જઇને ખેતીવાડી શરૂ કરી. જોકે, અહીં પણ તેમને પેટના દુખાવામાં કોઈ રાહત મળી નહિ.
આ પછી, એક વૃદ્ધ મહિલાએ તેમને પત્થરો ખાવાની સલાહ આપી. તે પછી જ રામભાઇ બોડકે પથ્થરો ખાવાનું શરૂ કર્યું. તેનાથી તેમને પેટની પીડામાં થોડી રાહત મળી હતી. આ પછી, તેમણે દરરોજ પત્થરો ખાવાનું શરૂ કર્યું. તેમને આવું કર્યાના 31 વર્ષ થયા છે.
થોડા દિવસો પહેલા તેમણે પેટમાં દુખાવાની ફરિયાદ કરી હતી જેના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યારે તેમણે સીટી સ્કેન કરાવ્યું, ત્યારે તેમના પેટમાં ઘણા બધા પત્થરો દેખાય. ડોક્ટરો પણ આ જોઈને નવાઈ પામ્યા. તેઓ માનતા ન હતા કે દરરોજ 250 ગ્રામ પત્થર ખાવા છતાં, આ વૃદ્ધ વ્યક્તિ જીવંત છે. રામભાઉની હાલત સારી છે. ડોકટરોએ તેને ફરીથી પત્થરો ન ખાવાની સલાહ આપી છે. જો કે, તેઓ આ ટેવને કાબૂમાં રાખવા સક્ષમ છે કે નહીં, તે જોવું રહ્યું.
આ બાબતમાં તમારો શું અભિપ્રાય છે? તમે ક્યારેય કોઈને પત્થરો ચાવતા જોયો છે? અમને કહો કે તમે આ પ્રકારની ભૂલ કરતા નથી ને. પત્થરો ખાવાથી તમારા સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પડે છે. વળી, જો તમારા બાળકને માટી ખાવાની ટેવ હોય, તો તરત જ આ ટેવમાંથી છૂટકારો મેળવો.