Site icon Jo Baka

ક્રિકેટ બાદ ખેતીમાંથી સારી કમાણી કરી રહ્યો છે ધોની, સ્ટ્રોબેરી વેચવાથી થઇ 30 લાખ રૂપિયાની આવક

ભારતીય ક્રિકેટના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની આજકાલ રાંચી શહેરના લોકોને પોતાના ખેતરની ઓર્ગેનિક શાકભાજી અને ફળો ખવડાવી રહ્યા છે. ક્રિકેટ ક્ષેત્રે પોતાની શાનદાર બેટિંગ અને હોંશિયાર કેપ્ટનશીપથી લોકોનું દિલ જીતનારા મહેન્દ્ર સિંહ ધોની પોતાના ફાર્મ હાઉસમાં વિવિધ પ્રકારના ફળો અને શાકભાજી ઉગાડી રહ્યો છે. તેના ફાર્મ હાઉસમાં ઉગાડવામાં આવતા ફળો અને શાકભાજીની રાંચીમાં સારી માંગ છે.

જણાવી દઈએ કે મહેન્દ્રસિંહ ધોનીએ પોતાના ફાર્મહાઉસમાં સ્ટ્રોબેરીની ખેતી પણ કરી છે. તેના ફાર્મહાઉસ 10 ટન સ્ટ્રોબેરી નું ઉત્પાદન થયું છે. મહેન્દ્રસિંહ ધોનીએ આટલા મોટા પાયે સ્ટ્રોબેરી ઉગાડીને લગભગ 30 લાખની કમાણી કરી છે. સ્ટ્રોબેરીની સાથે, ધોનીના ફાર્મહાઉસમાં શકરટેટી અને તરબૂચનું ઉત્પાદન પણ થયું છે. ફાર્મહાઉસ દરરોજ 300 કિલો તરબૂચ અને 200 કિલો શકરટેટીનું ઉત્પાદન કરે છે.

43 એકરમાં ફેલાયેલા મહેન્દ્રસિંહ ધોનીના ફાર્મહાઉસની સૌથી વિશેષ બાબત એ છે કે તે કોઈ પણ કેમિકલનો ઉપયોગ કર્યા વિના સંપૂર્ણ ઓર્ગેનિક ખેતી કરે છે. આને કારણે તેના ફાર્મહાઉસનાં ફળ અને શાકભાજી ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે અને બજારમાં પણ તેની સારી માંગ રહે છે. મહેન્દ્રસિંહ ધોનીએ એક એકરમાં કેપ્સિકમની ખેતી પણ કરી છે.

ફળો અને શાકભાજી ઉપરાંત મહેન્દ્રસિંહ ધોની હવે રાંચી બજારમાં કડકનાથ ચિકન વેચવાની તૈયારી કરી રહ્યા છે. તેમણે મોટા પાયે જંગલી ચિકન ઉછેર અને વેચવાની યોજના બનાવી છે. નોંધ લો કે આ ચિકનનું માંસ અન્ય માંસ કરતા એકદમ અલગ છે. બજારમાં કડકનાથ ચિકનનો ભાવ પ્રતિ કિલો 600 થી 1000 રૂપિયા છે.

રસપ્રદ વાત એ છે કે ધોનીને હવે એક મહાન ક્રિકેટર હોવા સાથે ઝારખંડનો ટોપ પશુપાલક જાહેર કરવામાં આવ્યો છે. આ સાથે, તેની ઓર્ગેનિક ખેતીને જોતા, અપેક્ષા કરી શકાય છે કે આગામી દિવસોમાં તેને બેસ્ટ ફાર્મર તરીકે પણ સન્માનિત કરી શકાય છે.

Exit mobile version