[whatsapp_group link=”https://chat.whatsapp.com/BfJEIyk9Zyl63Bdvnj805I” text=”જોડાઓ જો બકા વૉટ્સએપ ગ્રુપમાં”]
26 ઓગસ્ટે જન્માષ્ટમીના દિવસે મંગળે મિથુન રાશિમાં પ્રવેશ કર્યો. મંગળ હવે આ રાશિમાં આવતા વર્ષે 20 ઓક્ટોબર સુધી રહેશે. હવે મંગળ રાહુ અને કેતુથી કેન્દ્રમાં આવી ગયા છે. જ્યોતિષીઓના મતે મંગળનું આ પરિવર્તન લોકોની આર્થિક સ્થિતિ અને વૈવાહિક જીવન પર ઊંડી અસર કરનારું છે.
ગ્રહોના સેનાપતિ મંગળ અત્યાર સુધી દેવગુરુ બૃહસ્પતિ સાથે વૃષભ રાશિમાં હતા. પરંતુ 26 ઓગસ્ટે જન્માષ્ટમીના દિવસે મંગળે મિથુન રાશિમાં પ્રવેશ કર્યો. મંગળ હવે આ રાશિમાં આવતા વર્ષે 20 ઓક્ટોબર સુધી રહેશે. હવે મંગળ રાહુ અને કેતુથી કેન્દ્રમાં આવી ગયા છે. જ્યોતિષીઓના મતે મંગળનું આ પરિવર્તન લોકોની આર્થિક સ્થિતિ અને વૈવાહિક જીવન પર ઊંડી અસર કરનારું છે. આ પરિવર્તન રાજકીય બદલાવ અને ઉથલપાથલ તરફ પણ ઇશારો કરે છે.
મંગળ ગોચરની રાશિઓ પર કેવી અસર?
મંગળનું આ રાશિ પરિવર્તન ખૂબ ઝડપથી અસર બતાવી શકે છે. તેનાથી બધી રાશિના જાતકોને મિશ્ર પરિણામો મળવાની સંભાવના છે. મેષ, સિંહ, કન્યા અને મકર રાશિ માટે આ પરિવર્તન શુભ માનવામાં આવે છે. તેમના અટકેલા કામ હવે ઝડપથી પૂરા થશે. દરેક કાર્યમાં સફળતા મળશે.
જ્યારે વૃષભ, કન્યા અને ધનુ રાશિવાળાઓએ તેમના પારિવારિક જીવન અને વ્યવસાય પર ધ્યાન આપવાની જરૂર પડશે. તમારું દાંપત્ય જીવન પ્રભાવિત થઈ શકે છે. વ્યાપારમાં નુકસાન થઈ શકે છે. જ્યારે મિથુન, તુલા અને કુંભ રાશિના લોકોએ તેમના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે. કોઈ જૂની બીમારી તમારી મુશ્કેલી વધારી શકે છે. રોગો પર ખર્ચ વધી શકે છે.
શનિના સ્વામિત્વવાળી આ રાશિના જાતકોને વાદ-વિવાદથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે. મિથુન રાશિવાળાઓના સાહસ-પરાક્રમમાં વૃદ્ધિ તો થશે, પરંતુ વધુ પડતો આત્મવિશ્વાસ ઈજા પહોંચાડી શકે છે.
કર્ક, વૃશ્ચિક અને મીન રાશિના લોકોની વાત કરીએ તો આ લોકોએ પણ વિશેષ રૂપે સાવધાન રહેવું પડશે. મંગળ ગોચર પછી અકસ્માત, શસ્ત્રક્રિયા અને કોર્ટ કેસ વગેરે સમસ્યાઓ તમને ઘેરી શકે છે. આગામી એક વર્ષ સુધી તમારે ખૂબ સંભાળીને નિર્ણયો લેવા પડશે. બેદરકારીથી કરેલા કાર્યોમાં નુકસાન થવાની સંભાવના વધારે રહેશે.
મંગળ ગોચર અનુકૂળ નથી તો શું કરવું?
મંગળનું આ રાશિ પરિવર્તન કર્ક, વૃશ્ચિક અને મીન રાશિ માટે વધુ પ્રતિકૂળ છે. જ્યારે વૃશ્ચિક રાશિવાળાઓને વિશેષ સાવધાનીની જરૂર છે. આ સમયે નિત્ય સવારે સૂર્યદેવને જળ અર્પણ કરો. સવારે અને સાંજે એક-એક વાર “સંકટમોચન હનુમાનાષ્ટક”નો પાઠ કરો. શક્ય હોય તો નિયમિત રૂપે ગોળનું દાન કરો. લાલ રંગની વસ્તુઓથી આ સમયે પરહેજ રાખો.
[whatsapp_group link=”https://chat.whatsapp.com/BfJEIyk9Zyl63Bdvnj805I” text=”જોડાઓ જો બકા વૉટ્સએપ ગ્રુપમાં”]